શ્રી રામ જન્મભૂમિ તરીકે ઓળખાતા અયોધ્યામાં શું છે આપના માટે
વિશ્વ પટલ પર ભારત હંમેશાથી પોતાના મંદિરોના કારણે ઓળતું અને વખાણાતું રહ્યું છે. પછી તે વાસ્તુકલા હોય, આકાર હોય કે પછી આવનારા ભક્તોની સંખ્યા આજે દેશમાં આવેલા મંદિરોમાં એવું ઘણું બધું છે કે છેલ્લા ઘણા વર્ષોથી દેશ ઉપરાંત વિદેશથી આવનાર પ્રવાસીઓને પણ પોતાની તરફ આકર્ષિત કરે છે. આજે અત્રે એક તરફ વિદેશ આવનાર ભક્તોના કારણે દેશને મોટી માત્રામાં મહેસૂલની પ્રાપ્તિ થઇ રહી છે, જ્યારે બીજી તરફ તેનાથી ભારતીય પ્રવાસીઓને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે.
આ જ ક્રમમાં આજે અમે આપને અવગત કરાવવા જઇ રહ્યા છીએ કે ભગવાન રામની જન્મભૂમિના નામથી જાણીતા અયોધ્યાથી. સરયૂ નદીના તટ પર સ્થિત અયોધ્યા એક લોકપ્રિય તીર્થસ્થળ છે. અત્રે હિન્દુઓના લોકપ્રિય ધાર્મિક સ્થાન છે. આ શહેર, ભગવાન રામ સાથે જોડાયેલ છે જે અંગે માન્ય છે કે તે ભગવાન વિષ્ણુના 7માં અવતાર હતા. મહાકાવ્ય રામાયણ અનુસાર, પ્રાચીન શહેર અયોધ્યા સૂર્યવંશની રાજધાની હતી જ્યાં ભગવાન રામની જન્મભૂમિ હતી.
જ્યાં એક તરફ અયોધ્યા શહેર, હિંદુ ધર્મ માટે ખૂબ જ ખાસ છે તેમજ અત્રે બૌદ્ધ, જૈન અને ઇસ્લામ ધર્મના અવશેષ પણ મળી આવ્યા છે. વાત જો અયોધ્યામાં પ્રવાસનના સંદર્ભમાં હોય તો અયોધ્યામાં મોટાભાગના મંદિર જ છે જે મોટી સંખ્યામાં લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે.
અત્રે
આવીને
આપ
નાગેશ્વરનાથ
મંદિર,
ચક્ર
હરજી
વિષ્ણુ
મંદિર,
તુલસી
સ્મારક
ભવન,
રામ
જન્મ
ભૂમિ,
હનુમાન
ગઢી,
દશરથ
ભવન,
ત્રેતા-ના-ઠાકુર
સીતાની
રસોઇ,
રામની
પૌઢી,
મણિ
પર્વત
ઉપરાંત
કલકત્તા
કિલ્લા
ગુલાબવાડી
અને
બહુ
બેગમના
મકરબાની
યાત્રા
ચોક્કસ
કરો.