For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમારા દિમાગને તીવ્ર બનાવનાર 10 જ્યૂસ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

કેટલું સારું હોય જો તમે સુપરમાર્કેટમાં ફરતાં ફરતાં ''મગજને શાર્પ બનાવો'', ''તીવ્ર બનાવો'', ''યુવાન દેખાવ'', ''વજન ઓછું કરો'' તથા ''મૂડ બદલો'', જેમ કે લેબલોવાળા રસોને મેળવી શકતા. દુર્ભાગ્યપણે જીંદગીની આટલી સરળ પટકથ નથી- અને તમારા વજને ઓછું કરવા તથા તમને બળવાન બનાવવાનો દાવો કરનાર જ્યૂસ ખાંડથી ભરેલા હોય છે. તથા તમારા સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. આ આર્ટિકલમાં, અમે કેટલીક એવી યાદી તૈયાર કરી છે જે હકિકતમાં મગજને તીવ્ર બનાવે છે.

આ રસોથી તમને તમારી બુદ્ધિમાં વધારો જોવા મળશે. આ કોઇ વિશિષ્ટ કંપની દ્વારા બનાવવામાં આવેલા વિશેષ પદાર્થ નથી, પરંતુ સ્વસ્થ રસદાર પદાર્થ છે. તમારા મસ્તિકને થનાર નુકસાનથી બચાવવા માટે બિનજરૂરી રસો વિશે જાણવુ પણ જરૂરી છે. સામાન્ય રીતે દારૂનું સેવન સ્વાસ્થ્ય માટે લાભદાયક તથા ફાયદાકારક હોઇ શકે છે, પરંતુ તેનું વધુ સેવન ના ફક્ત લીવરને નુકશાન પહોંચાડે પરંતુ મગજને પણ મંદ કરી દે છે- અને આ સત્ય છે.

ખાંડથી ભરપૂર રસ ફક્ત તમારા હદય તથા કમર માટે હાનિકારક નથી, પરંતુ સમયની સાથે-સાથે, તે મસ્તિક સાથે જોડાયેલ ઘણી સમસ્યાઓનું કારણ પણ બને છે તથા તમારી યાદશક્તિ તથા એકાગ્રતાને પ્રભાવિત કરે છે. કૃત્રિમ મિઠાસ તથા રંગથી ભરપૂર રસ મસ્તિષ્ક માટે નુકસાનકારક છે, અંતત: સામાન્ય અનુભૂતિને પ્રભાવિત કરે છે. રિસર્ચરોએ આ પદાર્થોને મોટાજેનિક તથા કેન્સર પેદા કરનાર પદાર્થોના રૂપમાં જાહેર કર્યા છે. અત: તમારા સ્માર્ટ ફોન પર કોઇ ''બ્રેઇન ગેમ્સ''ને રમો અથવા જુના જમાના લોકોની માફક શબ્દ પઝલ ગેમ રમો, તથા પોતાની બુદ્ધિ બધારવા માટે આ રસોને પીવો.

દાડમનો રસ

દાડમનો રસ

આ અનોખા ફળમાં તમારી યાદશક્તિ તથા અનુભૂતિને સુધારવામાં મદદ કરનાર અનોખો એન્ટીઓક્સીડેન્ટ ઉપલબ્ધ છે. દરરોજ એક ગ્લાસ દાડમના રસના સેવથી તમારું મગજ તેજ બની શકે છે.

ચા

ચા

તમારી રુચિ અનુસાર બ્લેક ટી અથવા ગ્રીન ટીનું સેવન કરો. ચાના સેવનથી તમારા દિમાગને તેજ બનાવવાની શાનદાર રીત છે. જો કે ગ્રીન, ટીમાં જોવા મળતા ઇજીસીજી અથવા એપીગેલ્લકેચન-3-ગેલેટ, મસ્તિષ્કને તેજ બનાવતાં મસ્તિષ્કની કોશિકાઓનું ઉત્પાદન વધારે છે. ચામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, અને દરરોજ એક કપ બ્લેક ટીના સેવનથી પ્રતિક્રિયા સમયમાં સુધારો જોવા મળશે.

ડાર્ક ચોકલેટ કોકો

ડાર્ક ચોકલેટ કોકો

કોકોમાં ઉપલબ્ધ ફ્લેવોનલ રક્ત વાહિકાઓને શાંત કરીને બ્લડપ્રેશરને ઓછું કરે છે. અત: સમયની સાથે-સાથે મસ્તિષ્કને થનાર હાનિકારક પ્રભાવોને પણ ઘટાડે છે. દરરોજ એક કપ હોટ ચોકલેટનું સેવન સ્ટ્રોક તથા સંજ્ઞાનાત્મક ખતરાને ઓછું કરી શકે છે.

બેરીનો રસ

બેરીનો રસ

જાંબુ તથા બ્લૂબેરીનો રસ પીવાથી તમને મહેસૂસ થશે કે તમે આગામી સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી સ્પર્ધા જીતી જશો. આ બંને બેરીઓ મગજની તંત્રિકીય ગતિવિધીઓને વધારે છે અને માનસિક સંતુલનને જાળવી રાખે છે. તેનું સેવન યાદશક્તિની સાથે મોટર તથા સંજ્ઞાનાત્મક કૌશલને પણ તેજ કરે છે.

તમાલપત્ર તથા હળદરવાળી ચા

તમાલપત્ર તથા હળદરવાળી ચા

કેટલાક અન્ય જડીબુટ્ટીઓની સાથે, આ મારા દૈનિક રહસ્યોમાંથી એક છે, તમાલપત્રમાં પ્રોએંતોસાઇનિદિન તથા સિનામલડિહાય્ડ નામની બે યૌગિક હોય છે, આ મસ્તિષ્કમાં તાઉ પ્રોટીનને વધતાં રોકે છે જેને પાગલપનમાં પ્લાક નિર્માણનું કારણ માનવામાં આવે છે.

સામાન્ય રીતે દારૂનું સેવન

સામાન્ય રીતે દારૂનું સેવન

રિસર્ચોથી ખબર પડે છે કે વોડકા, બિયર અથવા વાઇન જેવા પેય પદાર્થ મસ્તિષ્કને વલ્કુટીય કાર્યોને વધારી શકે છે, જેથી રચનાત્મકતામાં સુધારો થાય છે- પરંતુ તમારી બીએસી 0.007 થી વધુ ન હોવી જોઇએ, કારણ કે કોઇ સારા પદાર્થનું વધુ સેવન ખરાબ પરિણામનું કારણ બની શકે છે: અંત: સંયમ જ ચાવી છે.

પાણી

પાણી

આ તથ્ય ઉપરાંત આપણું શરીર 70 ટકા પાણીથી બનેલું છે, આપણને પાણીની જરૂરિયાત શરીરમાંથી વિષાયુક્ત પદાર્થોને બહાર કાઢવા માટે, તમારી ત્વચાને યુવાન તથા હાઇડ્રેટેડ રાખવા માટે તથા પાણી મસ્તિષ્કની સારી કાર્યશીલતા માટે મગજને ઓક્સિજન પુરો પાડે છે. અત: આ પ્રકારે મસ્તિષ્કને સંકેત મોકલે છે કે તેને પાણીની જરૂરિયાત છે.

રેડ વાઇન

રેડ વાઇન

રિસર્ચોથી ખબર પડે છે કે વાઇન તથા ચોકલેટમાં ઉપલબ્ધ પોલિપેનલ મસ્તિષ્ક માટે રક્તના પ્રવાહને વધારે છે (એટલા માટે બંનેનું સેવન કરો) અને આ પ્રમાણે આ દિમગી શક્તિને વધારે છે. વાઇનમાં ઉપલબ્ધ રેસ્વિરેટરલ માનસિક સ્વાસ્થને જાળવી રાખે છે, પરંતુ યાદ રહે તેનું સેવન સામાન્ય રૂપે કરો. લેટ્સ ચિયર્સ!

બીટ, ગાજર અને સફરજનનો રસ

બીટ, ગાજર અને સફરજનનો રસ

બીટનું સેવન મસ્તિષ્કમાં નાઇટ્રિક ઓક્સાઇડનું ઉત્પાદન વધારે છે જો કે રક્ત પરિભ્રમણને સુધારે છે. ગાજરામાં ઉપલબ્ધ બીટા કૈરોટીન ફક્ત આંખો માટે લાભદાયક નથી પરંતુ મસ્તિષ્કના અધ: પતનને રોકવામાં પણ મદદ કરે છે.

નારિયેળ પાણી તથા નારિયેળનું દૂધ

નારિયેળ પાણી તથા નારિયેળનું દૂધ

નારિયેળ પાણીના બધા તત્વ, જેનું સેવન તમે ગમે તે રૂપે કરી શકો છો, તમારા સ્વાસ્થ્ય માટે અને વિશેષ રૂપે તમારા મગજ માટે લાભદાયક છે. તેના સેવનથી પ્રારંભિક મનોભ્રંશને રોકી શકાય છે: ડિહાઇડ્રેશન ઉપરાંત, તેમાં હાજર ઇલેક્ટ્રોલાઇટ્સ, વિટામિન અને ખનીજ મસ્તિષ્કના રક્ત સંચાર તથા રક્ત પ્રવાહને સુધારે છે.

English summary
Some drinks can make you feel like your IQ has increased. They’re not special products manufactured by a particular company, they’re just extremely healthy choices. It’s also important to know what drinks to avoid in order to be kind to your brain.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X