આયુર્વેદિક રીતે માણો મૉનસૂનની મજા
ભારતમાં મોનસૂન અર્થાત વરસાદની સિઝન ઉત્સવની માફક હોય છે. ગરમીની સિઝન બાદ લોકો ભગવાન પાસે વરસાદની યાચના કરે છે. જ્યારે વરસાદ આવે છે તો લોકો વરસાદમાં નાચતાં જોઇ શકાય છે. તથા અનેક રીતે વરસાદનો આનંદ માણતાં જોઇ શકાય છે. પરંતુ ઘણી બિમારીઓ, સંક્રમણો અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યઓની પણ સિઝન છે. હવામાનમાં અચાનક થયેલા ફેરફારના કારણે આપણા શરીરની પ્રતિરોધક ક્ષમતા ઓછી થઇ જાય છે જેના લીધે આપણને ઘણી બિમારીઓથી ગ્રસિત થઇ શકીએ છીએ.
આર્યુવેદ અનુસાર વરસાદની સિઝનમાં પિત્ત ખૂબ જ વધી જાય છે જે અગ્નિ તત્વ હોય છે તથા આપણા શરીરને કાર્યાત્મક ઉર્જા પ્રદાન કરે છે તથા આ ચયાપચય અને ભોજનના પાચન માટે જવાબદાર હોય છે. આ દરમિયાન પાચન પ્રક્રિયા નબળી હોય છે. આ સિઝનમાં પિત્તના કારણે થનારી સામાન્ય બિમારીઓ હાઇપરએસિડિટી, અપચન, તત્વા સંબંધિત બિમારીઓ (ફોડકી, એક્ઝિમા અને રૈશેસ), વાળનું ખરવું અને સંક્રમણ છે.
આર્યુવેદના આ 9 નુસખા ઘટાડશે કરશે તમારું વજન
આ તે સમય હોય છે જ્યારે વાતારવણમાં આદ્રતાનું સ્તર ખૂબ જ વધુ હોય છે જેના લીધે શરીરમાં ઓજસ નામક મહત્વપૂર્ણ તરલ પદાર્થની ઉણપ થઇ જાય છે. હવામાં ઓક્સિજનના ઘટાડાના કારણે મોટાભાગે લોકોને શ્વાસ લેવામાં તકલીફ તથા નબળાઇની ફરિયાદ કરે છે.
એટલા માટે જો તમે ચોમાસાની સિઝનનો આનંદ ઉઠાવવા માંગો છો તો આ ઉપાયોને અપનાવો તથા સ્વસ્થ રહો.
તેલ-મસાલાથી દૂર રહો
ખૂબ જ ભારે, અમ્લીય, ગરમ, ખાટું (ચટણી, અથાણું, મરચાં, દહીં, કડી વગેરે) તથા ખારા પદાર્થો ન ખાવ કારણ કે તેના લીધે જળ સંગ્રહણ, અપચન, એસીડિટી અને પેટ ફૂલવું જેવી સમસ્યાઓ આવી શકે છે. તળેલા પદાર્થ, જંક ફૂડ અને માંસ ખાશો નહી. સલાડ અને લીલી શાકભાજીઓ ન ખાવ.
બાફેલા શાકભાજી ખાવ
સામાન્ય અને સરળતાથી પચી જનાર ખાદ્ય પદાર્થ, શેકેલી તથા સ્ટીમ્ડ શાકભાજીઓ, સ્ક્વૉશ, કોળુ, સ્ટીમ્ડ સલાડ, ફળ, મગદાળ, ખિચડી, કોર્ન (મકાઇ), કાબુલી ચણાનો લોટ અને ઓટમીલ વગેરે ખાવ.
ભારે તેલનો ઉપયોગ ના કરો
જમવાનું બનાવવા માટે ઘી, ઓલિવ ઓઇલ, કોર્ન ઓઇલ અને સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરો કારણ કે આ હલકા હોય છે. ભારે તેલ જેમ કે સરસિયાનું તેલ, માખણ, મગફળીનું તેલ અને અન્ય ભારે તેલ ખાશો નહી.
સામાન્ય કસરત કરો
ખૂબ જ ભારે કસરત જેમ કે દોડવું, સાઇક્લિંગ વગેરે ન કરો કારણ કે તેના લીધે પિત્ત (ઉષ્ણતા) વધે છે. યોગ, વોકિંગ, સ્વિમિંગ અને સ્ટ્રેચિંગ વગેરે કસરત સારી હોય છે.
બહાર જમતી વખતે સાવધાન રહો
સુનિશ્વિત કરો કે તમે જે સ્થળ પર જમવા જાવ છો તે સાફ સુથરી હોય. રસ્તાના કિનારે વેચાનારા ખાદ્ય પદાર્થોને ખાશો નહી.
ફળ અને શાકભાજીઓને સારી રીતે ધોવો
લીલી શાકભાજીઓ અને ફળોને ખાતા પહેલાં સારી રીતે ધોવો.
કડવી ચીજોનું સેવન કરો
કડવો સ્વાદ પિત્તને નિષ્પ્રભાવિત કરી દે છે. અત: કડવી શાકભાજી જેમ કે કારેલા, કડવી બૂટીઓ જેમ કે લીમડો, મેથી અને હળદરને વધુ માત્રા ખાવ કારણ કે તમને સંક્રમથી બચાવે છે.
તલના તેલની માલિશ
વર્ષા ઋતુંમાં અઠવાડિયામાં ઓછામાં ઓછા એકવાર તલના તેલની માલિશ તમને સ્વસ્થ રાખે છે. કેટલાક લોકો તલના તેલને ગરમ કરી શકે છે અત: તે લોકો નારિયેળના તેલનો ઉપયોગ પણ કરી શકે છે.