આનંદીબેન અન્નપૂર્ણા બની ગુજરાતમાં પટેલ મુખ્યમંત્રીઓને મરાતું મ્હેણું ભાંગશે?
ગરવી ગુજરાતની ખમીરવંતી પ્રજા આમ તો નાના મોટા, વિકરાળ, ભયાનક કે તબાહી સર્જનારી તમામ આફતો સામે લડીને બેઠી થનારી પ્રજા છે. કોઇ પણ રાજ્યના વિકાસ કે રકાસમાં તેના મુખ્યમંત્રીનો ફાળો મહત્વનો ગણવામાં આવે છે. આ રીતે જોઇએ તો ગુજરાતમાં પટેલ મુખ્યમંત્રીઓની બોલબાલા રહી છે. આ કારણે ગુજરાતની ચડતી પડતી તેમને આભારી છે એમ કહી શકાય.
હવે સરકાર દ્વારા કરવામાં આવતા વિકાસને વાતને બાજુ પર મુકીએ તો કુદરતી સંજોગો પણ વિકાસની દિશા પલટી શકે છે. આ સંજોગોમાં ઘણીવાર માન્યતાઓ પણ જોડાય છે. ગુજરાતના શાસકો વિશે કેટલીક રસપ્રદ માન્યતાઓ છે.
અત્યારે વરસાદની મોસમ છે. ગુજરાતમાં છેલ્લા મહિનાથી વરસાદ હાથતાળી આપીને નાસી જાય છે. જેના કારણે દુષ્કાળની ભીતી સેવાયેલી હતી. હવે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં મેહુલો જામ્યો છે એટલે લોકોને રાહત થઇ છે. આ સાથે સોશિયલ મીડિયા પર ગુજરાતના મુખ્યમંત્રીઓ વિશેની માન્યતાનો એક સંદેશ વહેતો થયો છે.
આ સંદેશ મુજબ ગુજરાતમાં જેટલીવાર પટેલ મુખ્યમંત્રી બન્યા છે, ત્યારે રાજ્યને દુષ્કાળની સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. આ વર્ષે પણ આનંદીબેન પટેલ મુખ્યમંત્રી બન્યા છે. જો કે અપવાદ એ છે કે તેઓ પ્રથમ મહિલા મુખ્યમંત્રી છે અને સાથે પટેલ પણ છે. હવે હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ગુજરાતમાં દુષ્કાળની સંભાવના ઘટી રહી છે.
સ્ત્રીને અન્નપૂર્ણા કહેવામાં આવે છે કારણ કે તે ઘરમાં દરેકને માટે અન્ન એટલે કે ભોજનની વ્યવસ્થા કરે છે. ગુજરાતના મહિલા મુખ્યમંત્રી પણ ગુજરાતના અન્નપૂર્ણા છે. તેમના રાજમાં અન્ન કેમ ખૂટે? આ કારણે શક્ય છે કે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ રાજ્ય માટે અન્નપૂર્ણ બનશે. એટલું જ નહીં વર્ષોથી પટેલ મુખ્યમંત્રીઓને માણવામાં આવતું મ્હેણું પણ તેઓ ભાંગે એવી શક્યતા છે.
ગુજરાતમાં કયા પટેલ મુખ્યમંત્રીઓના શાસનમાં ક્યારે ક્યારે દુષ્કાળ પડ્યો તે જાણવા આગળ ક્લિક કરતા જાવ...
1
બાબુભાઇ
જશભાઇ
પટેલ
1956માં
દુષ્કાળ
2
ચીમનભાઇ
પટેલ
1972,
1973
અને
1974માં
દુષ્કાળ
3
ચીમનભાઇ
પટેલ
1986,
1987,
1988માં
દુષ્કાળ
4
કેશુભાઇ
પટેલ
1996,
1997માં
દુષ્કાળ
અને
વર્ષ
2001માં
ભૂકંપ
5
આનંદીબેન
પટેલ
2014
ગુજરાત
માટે
અન્નપૂર્ણા
સાબિત
થશે?