ગુજરાતીઓ ચેતજો: વરસાદ તમારા વીકએન્ડ એન્જોયમેન્ટ પર પાણી ફેરવી શકે છે!
અમદાવાદ, 18 જુલાઇ : મોજીલા ગુજરાતવાસીઓ તમે ઝરમર વરસાદની ઋતુમાં મસ્તમગન થઇ જવા માટે જો વીકએન્ડમાં આઉટિંગનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો ગુજરાતના હવામાન વિભાગની ચેતવણી ધ્યાનમાં લેવા જેવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ચોમાસાનું ચક્ર સક્રિય થયું છે. આ કારણે અપર એર સાયક્લોનિક પ્રેશર સર્જાયું છે. જેના પરિણામે આ શનિવાર અને રવિવારે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની ચેતવણીને અવગણીને આપ આઉટિંગમાં જશો તો શક્ય છે કે વરસાદ આપની વીકએન્ડ પ્લાન પર પાણી ફેરવી દેશે.
આ ઉપરાંત આગામી બે દિવસ દરમિયાન ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારો પર અતિભારે અને અંતરિયાળ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે માછીમારો માટે પણ ચેતવણી જાહેર કરતા કહ્યું છે કે શનિ અને રવિ દરમિયાન દરિયામાં કરન્ટ રહે એવી શક્યતા હોવાથી સોમવાર સુધી માછીમારોને દરિયો ખેડવાનું ટાળે એ હિતાવહ છે. આ દરમિયાન આજે સવારથી જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદના ભારે ઝાપટાં ચાલુ રહ્યા છે.
આગળ ક્લિક કરીને જાણો આજે દિવસ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારમાં કેટલો વરસાદ વરસ્યો...
રાજકોટ
રાજકોટમાં
સવારના
ત્રણ
કલાકમાં
અંદાજે
3
ઇંચ
જેટલો
વરસાદ
વરસ્યો
હતો.
ઉના
જૂનાગઢ
જીલ્લાના
ઉનામાં
કાલે
રાત્રીથી
આજે
સવાર
સુધીમાં
અઢી
ઇંચ
વરસાદ
વરસ્યો
હતો.
બાબરા
બાબરા
તાલુકામાં
આજ
સવારથી
ભારે
વરસાદી
માહોલ
છવાયો
છે.
તાલુકામાં
સવારે
જ
બે
કલાકની
અંદર
અંદાજે
4
ઇંચ
વરસાદ
વરસી
ગયો
હતો.
જોડિયા
આજે
જામનગર
જીલ્લાનાં
જોડિયામાં
4
કલાકમાં
જ
10
ઇંચ
જેટલો
વરસાદ
વરસી
ગયો
છે.
ગારિયાધાર
ગારિયાધાર
તાલુકાના
જેસરમાં
3થી
5મીમી
અને
જોડિયામાં
સવારે
15મીમી
વરસાદ
નોંધાયો
છે.
ખીરસરા
આજે
સવારથી
ખીરસરા,
મેટોડામાં
મેહુલો
જામ્યો
છે.
બપોર
સુધીમાં
3
ઇંચ
વરસાદ
નોંધાયો
છે.
આ
વરસાદના
કારણે
રસ્તાઓ
ઉપર
પાણી
ફરી
વળ્યા
હતા.
જામનગર જિલ્લો
જામનગર
જિલ્લાના
ખંભાળીયા,
કલ્યાણપુર,
જામજોધપુર,
લાલપુર,
કાલાવડ
સહિતના
તાલુકાઓમાં
ઝાપટાથી
માંડીને
અડધો
ઈંચ
જેટલો
વરસાદ
વરસ્યો
છે.