રાહુલ ગાંધીને પણ મળી ગયું મોદી સરકારમાં કામ!
નવી દિલ્હી: કોંગ્રેસના યુવરાજ અને પાર્ટી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને ભલે યૂપીએ સરકારમાં કોઇ કામ ન મળ્યું હોય, પરંતુ સત્તા પરિવર્તન બાદ દેશમાં આવેલી નવી ભારતીય જનતા પાર્ટીની સરકારે રાહુલ ગાંધીને નવી જવાબદારી સોંપી છે. જી હાં કેન્દ્રની એનડીએ સરકારમાં રાહુલ ગાંધીને નવું કામ મળી ગયું છે.
કહેવામાં આવે છે કે રાહુલ ગાંધીને વિદેશી મામલાઓની સંસદીય સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. આ પહેલાં રાહુલ ગાંધી રક્ષા અને માનવ સંસાધન મેનેજમેન્ટ પેનલના સભ્ય રહી ચૂક્યાં છે. ઘણા લાંબા સમય બાદ સંસદના બંને સદનોના પ્રિઝાઇડિંગ ઓફિસરોએ સોમવારે મંત્રલાયો સંબંધિત કેટલીક સંસદીય સમિતિઓની રચના કરવામાં આવી.
આ કમિટીમાં બંને સદનોના સભ્યોને મળીને કુલ 24 સમિતિઓ બનાવવામાં આવી છે. જેમાંથી 8 સમિતિઓના અધ્યક્ષ રાજ્યસભા માંથી અને 16 સમિતિઓના અધ્યક્ષ લોકસભા માંથી બનાવવામાંથી આવ્યા છે.
રાહુલ ગાંધી
કહેવામાં આવે છે કે રાહુલ ગાંધીને વિદેશી મામલાઓની સંસદીય સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે.
રાહુલ ગાંધી
આ પહેલાં રાહુલ ગાંધી રક્ષા અને માનવ સંસાધન મેનેજમેન્ટ પેનલના સભ્ય રહી ચૂક્યાં છે.
સંસદીય સમિતિઓની રચના
ઘણા લાંબા સમય બાદ સંસદના બંને સદનોના પ્રિઝાઇડિંગ ઓફિસરોએ સોમવારે મંત્રલાયો સંબંધિત કેટલીક સંસદીય સમિતિઓની રચના કરવામાં આવી.
24 સમિતિઓ બનાવવામાં આવી
આ કમિટીમાં બંને સદનોના સભ્યોને મળીને કુલ 24 સમિતિઓ બનાવવામાં આવી છે. જેમાંથી 8 સમિતિઓના અધ્યક્ષ રાજ્યસભા માંથી અને 16 સમિતિઓના અધ્યક્ષ લોકસભા માંથી બનાવવામાંથી આવ્યા છે.
3 સમિતિઓની અધ્યક્ષતા કોંગ્રેસને મળી
દરેક સમિતિમાં 31 સભ્ય છે. જેમાંથી 21 સભ્ય લોકસભામાંથી અને 10 સભ્ય રાજસભાના સભ્ય છે. રાજ્યસભામાં કોંગ્રેસના 68 સભ્ય છે, એટલા માટે રાજ્યસભાવાળી 8 સમિતિઓમાંથી 3 સમિતિઓની અધ્યક્ષતા કોંગ્રેસને મળી છે.
ભાજપને સૌથી વધુ
જ્યારે 2 સમિતિની અધ્યક્ષતા ભાજપ, 1 બસપા, 1 તૃણમૂલ કોંગ્રેસ અને 1 જેડીયૂને મળી છે. રાજ્યસભાના મુકાબલે લોકસભામાં બનેલી 16 સમિતિઓમાંથી કોંગ્રેસને ફક્ત 2 સમિતિની અધ્યક્ષતા મળી છે. તો બીજી તરફ ભાજપને સૌથી વધુ 9 સમિતિઓની અધ્યક્ષતા મળી છે.