નવી દિલ્હી, 19 એપ્રિલ: રાજનીતિની દિશા હવે વ્યક્તિગત નિવેદનબાજી તરફ ઝડપથી આગળ વધી રહી છે. લોકસતંત્રના ઉત્સવનો પ્રસાદ 16 મેના રોજ તમામ દળોને મળી જશે, પરંતુ તો પણ જુબાની હુમલા ચાલુ જ છે.
આ જ કડીમાં નરેન્દ્ર મોદી તરફથી નાણામંત્રી પી. ચિદમ્બરમ પર ઘડિયાળ વહેંચવાને લઇને નિશાનો સાધતા એક દિવસ બાદ ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહે જણાવ્યું કે આ એ વાતનું પ્રતિક છે કે કોંગ્રેસ શાસનનું હવે અંત થઇ રહ્યું છે.
તેમણે જણાવ્યું કે જો મોદી વડાપ્રધાન બને છે તો શ્રીલંકાઇ તમિલોના મુદ્દાનું સમાધાન નિકાળી લેવામાં આવશે. સિંહે જણાવ્યું કે ચિદમ્બરમ 1984થી મંત્રી રહ્યા, પરંતુ આ ક્ષેત્રમાં ઉદ્યોગ લાવ્યા નહીં, અને યુવકો માટે રોજ ઉપલબ્ધ કરાવ્યું. ઘડિયાળનું વિતરણ એ વાતનું પ્રતિક છે કે કોંગ્રેસ શાસનનો સમય હવે સમાપ્ત થવાના આરે છે.
સિંહે પાર્ટીના તે સૂત્રને જણાવ્યું જેમાં સંગીતની સાથે કહેવામાં આવ્યું છે કે 'અચ્છે દિન આનેવાલે હે...'