નવી દિલ્હી, 23 એપ્રિલ: નેશનલ કોન્ફ્રેંસના દિગ્ગજ નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ સહયોગી ફારૂક અબ્દુલ્લાએ મોંઘવારી અને ભ્રષ્ટાચારને યૂપીએ સરકારની મોટી ભૂલો ગણાવી છે. આઇબીએન7 સાથે ખાસ વાતચીતમાં અબ્દુલ્લાએ માન્યું કે ભ્રષ્ટાચારને રોકવા માટે ઝડપથી કામ નથી થયું.
ફારૂક અબ્દુલ્લાને પૂછવામાં આવ્યું કે શું આપને લાગે છે કે યૂપીએમાં ક્યાંકને ક્યાંક ખામી રહી છે? જેના જવાબમાં તેમણે જણાવ્યું કે અમારી વિરુધ્ધ જે પ્રચાર ભાજપે કર્યો છે તેના માટે તેમણે કરોડો ખર્ચ્યા છે, અમારી ભૂલો છે કે યૂપીએ સરકારમાં મોંઘવારી ખૂબ જ થઇ, જેને અમે રોકી શક્યા નહીં. બીજું એ કે જે ભ્રષ્ટાચાર થયો તેની પર પણ જો ઝડપથી કાર્યવાહી થતી તો લોકોને તે દેખાતું.
ફારુક અબ્દુલ્લાને પૂછવામાં આવ્યું કે શું ખરેખર મનમોહન સિંહ નબળા વડાપ્રધાન હતા? જેના જવાબમાં તેમણે જણાવ્યું કે મનમોહન સિંહ ઇમાનદાર હતા, તેમના બિલકૂલ સારા ઇરાદાઓ છે. આટલી જમાતોને ચલાવવું સરળ નથી. આજે તેમની પર આરોપ લાગી રહ્યા છે જે બિચારો સૌથી વધારે ઇમાનદાર છે. જેણે આપણી ઇકોનોમીને બચાવી.