મોદીરાજમાં કોના-કોના આવ્યા સારા દિવસો
નરેન્દ્ર મોદી સરકાર આવતાં પહેલાં જ ભાજપે સારા દિવસોના ગુણગાના કરવાનું શરૂ કરી દિધું હતું. જાહેરાતોથી માંડીને દિવાલો પર ચોંટેલા પોસ્ટરોથી માંડીને સોશિયલ મીડિયા સુધી સારા દિવસો અને વધુ સારા દિવસો છવાયેલા હતા. નરેન્દ્ર મોદી પોતે મધ્યમ વર્ગને સારા દિવસો લાવવાનો વાયદો કરીને ભાજપને સત્તામાં લાવ્યા છે. પરંતુ નરેન્દ્ર મોદીકાળના સો દિવસ વિતી ચૂક્યા છે. તેમાં કોના સારો દિવસો અને કોના તકલીફભર્યા દિવસો છે. જાણો આ ફોટો ફિચરના માધ્યમથી-
આ 5 વાતો નરેન્દ્ર મોદીના વિરોધીઓ જરૂર વાંચે
ઉદ્યોગ કે ઘર
નરેન્દ્ર મોદીની સરકાર આવતાં જ ઔદ્યોગિક જગત માટે ખુશખબરી લઇને આવી છે. એફડીઆઇને પ્રોત્સાહન મળ્યું છે, ઉદ્યોગને વિશેષ છૂટ આપવાની વાત કહેવામાં આવી રહી છે. હમણાં જાપાન યાત્રા પર પણ વિદેશ મંત્રીને નહી પરંતુ દેશના મોટા ઉદ્યોગપતિઓને સાથે લઇ જવું આ જ દર્શાવે છે. તો બીજી તરફ દેશના ઘણા ગામ વિજળી પાણી વિના પોતાની જીંદગી ગુજારી રહ્યાં છે.
અમિત શાહ
કોઇપણ એ વાતનો અંદાજો લગાવી શકે છે કે જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન ન બનતા તો શું ક્યારેય અમિત શાહને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવતા. કદાચ તેના વિરોધમાં ઘણા ઉભા થતા. આ મોદી જ છે જે અમિત શાહના સારા દિવસો આવ્યા અને તુલસી પ્રજાપતિ બનાવટી એંકાઉન્ટરમાં તેમના મુદ્દા દબાવી દિધો.
નેતા અને અપરાધ
ભલે નરેન્દ્ર મોદી સરકાર ક્રાઇમ પર ઘણું કામ કરવા માંગતી હોય પરંતુ તેને હજુ સુધી નિવદનો અને સારા-સારા ભાષણો સિવાય તેના માટે કંઇપણ કર્યું નથી. જે નેતાઓ પર અપરાધિક મામલા છે. તો બીજી તરફ મહિલા સુરક્ષા અપર પણ વિશેષ ધ્યાન આપ્યું નથી, સતત રેપના કેસ અને પીડિતાઓને લઇને મનફાવે નિવેદનો આપી રહ્યાં છે. એટલે કે અપરાધીઓ અને નેતાઓના તો સારા દિવસો તો આવી ગયા છે.
બુલેટ ટ્રેન
નરેન્દ્ર મોદીએ સૌથી પહેલાં બુલેટ ટ્રેનનું સપનું બતાવ્યું છે પરંતુ શું તેનાથી સામાન્ય સમાજની જરૂરિયાતો પુરી થઇ જશે. જે દેશમા આજેપણ એસી ક્લાસમાં બેસવું સપનું હોય તે સમાજ બુલેટ ટ્રેન જેવી મોંઘી ટ્રેનનો ખર્ચ કેવી રીતે વેઠી શકશે. એટલે કે અહીં સારા દિવસો તેમના આવ્યા છે જે મધ્યમ વર્ગમાં આવતા નથી.