જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ-નેશનલ કોન્ફ્રેંસના છૂટાછેડા, અલગ-અલગ લડશે ચૂંટણી
જમ્મુ-કાસ્મીરમાં હવે કોંગ્રેસ અને નેશનલ કોન્ફ્રેંસ વચ્ચેનું જુનું ગઠબંધન તૂટી ચૂક્યું છે. કોંગ્રેસ આગામી વિધાનસભા ચૂંટણીમાં 87 બેઠકો પર એકલી જ ચૂંટણી લડશે. કોંગ્રેસ મહાસચિવ ગુલામ નબી આઝાદે પ્રેસ કોન્ફ્રેંસ કરીને નેશનલ કોન્ફ્રેંસથી ગઠબંધન તૂટવાની ઔપચારિક જાહેરાત કરી. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે પાર્ટી ચૂંટણીમાં તમામ બેઠકો પર એકલી જ મેદાનમાં ઉતરશે.
પ્રદેશના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વિટર પર આ વાતની સ્પષ્ટતા આપી કે તેમણે ગઠબંધન તૂટવાની જાહેરાત કેમ નથી કરી. તેમણે લખ્યું કે 'મે તેમને જણાવ્યું કે આની જાહેરાત નહીં કરુ, કારણ કે હું તકવાદી દેખાવા નથી માંગતો.'
આ બંને પાર્ટિઓનું ગઠબંધન તો લાંબા સમયથી ચાલ્યું આવતું હતું, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રદેશના મુખ્યમંત્રી ઉમલ અબ્દૂલ્લાની વચ્ચે પણ સારી મિત્રતા છે.
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) પહેલા જ વિધાનસભા ચૂંટણી માટે પોતાનો નજરીયો સ્પષ્ટ કરી ચૂક્યા છે. પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તીએ જણાવ્યું તેમની પાર્ટી વિધાનસભા ચૂંટણી પોતાના દમ પદ જ લડશે.
અત્રે નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં દ્વિસંસદીય વ્યવસ્થા છે. વિધાનસભાના સભ્યો સીધા જનતા દ્વારા ચૂંટાઇ આવે છે, જ્યારે વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી વિધાનસભાના 87 સભ્યો કરે છે. રાજ્યવિધાનનું છ વર્ષોનું કાર્યકાળ આવતા વર્ષે જાન્યુઆરીમાં પૂર્ણ થઇ રહ્યું છે. ચૂંટણી આ વર્ષના અંત સુધી યોજાવાની સંભાવના છે. સરકાર બનાવવા માટે કોઇને 44 બેઠકોની જરૂરીયાત હોય છે. હવે જોવાનું એ છે કે કોંગ્રેસ એકલી અહીં સુધી પહોંચી શકે છે કે નહીં.
શું
કહ્યું
ઓમર
અબ્દુ્લ્લાએ
જાણો...
|
ઓમર અબ્દુલ્લાહે શુ કહ્યું...
પ્રદેશના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વિટર પર આ વાતની સ્પષ્ટતા આપી કે તેમણે ગઠબંધન તૂટવાની જાહેરાત કેમ નથી કરી. તેમણે લખ્યું કે 'મે તેમને જણાવ્યું કે આની જાહેરાત નહીં કરુ, કારણ કે હું તકવાદી દેખાવા નથી માંગતો.'
|
લાંબા સમયના ગઠબંધનનો અર્થ
આ બંને પાર્ટિઓનું ગઠબંધન તો લાંબા સમયથી ચાલ્યું આવતું હતું, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રદેશના મુખ્યમંત્રી ઉમલ અબ્દૂલ્લાની વચ્ચે પણ સારી મિત્રતા છે.
|
પહેલી જ વિધાનસભા ચૂંટણી માટે પોતાનો નજરીયો સ્પષ્ટ કરી
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) પહેલી જ વિધાનસભા ચૂંટણી માટે પોતાનો નજરીયો સ્પષ્ટ કરી ચૂક્યા છે. પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તીએ જણાવ્યું તેમની પાર્ટી વિધાનસભા ચૂંટણી પોતાના દમ પદ જ લડશે.
સરકાર બનાવવા માટે કોઇને 44 બેઠકો જોઇએ
અત્રે નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં દ્વિસંસદીય વ્યવસ્થા છે. વિધાનસભાના સભ્યો સીધા જનતા દ્વારા ચૂંટાઇ આવે છે, જ્યારે વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી વિધાનસભાના 87 સભ્યો કરે છે. રાજ્યવિધાનનું છ વર્ષોનું કાર્યકાળ આવતા વર્ષે જાન્યુઆરીમાં પૂર્ણ થઇ રહ્યું છે. ચૂંટણી આ વર્ષના અંત સુધી યોજાવાની સંભાવના છે. સરકાર બનાવવા માટે કોઇને 44 બેઠકોની જરૂરીયાત હોય છે. હવે જોવાનું એ છે કે કોંગ્રેસ એકલી અહીં સુધી પહોંચી શકે છે કે નહીં.