પાકિસ્તાનમાં ઇમરાન ખાનની ગાડી પર ગોળીબાર
ખાનની પ્રવક્તા અનીલા ખાને જણાવ્યું કે આ હુમલામાં ખાન ઘાયલ નથી થયા, પરંતુ તેમના વાહનને નિશાનો બનાવવામાં આવ્યો છે. ભીડે પત્થરમારો કરીને ખાનના કાફિલા પર હુમલો કર્યો અને પોલીસે કોઇ હસ્તક્ષેપ કર્યો નહીં. ટેલિવિઝન ફુટેજમાં દેખાડવામાં આવ્યું છે કે સ્થાનીય લોકો ખાનના સમર્થની સાથે ઝડપ કરી રહ્યા હતા.
પાકિસ્તાનમાં ગયા વર્ષે થયેલી ચૂંટણીમાં ધાંધલીના વિરોધ અને સરકારના રાજીનામાની માંગને લઇને પ્રદર્શનકારીઓએ ગઇકાલે લાહોરથી રાજધાની ઇસ્લામાબાદ માટે વિરોધ માર્ચ શરૂ કરી દીધું હતું. પ્રદર્શનકારી બે સમૂહોમાં ઇસ્લામાબાદ તરફ આગળ વધ્યા હતા.
એક સમૂહનું નેતૃત્વ તહરીક-એ-ઇંસાફના નેતા ઇમરાન ખાન અને બીજા સમૂહનું નેતૃત્વ ધાર્મિક નેતા તાહિર-ઉલ-કાદરી કરી રહ્યા હતા. ખાન ગઇ ચૂંટણીમાં થયેલી ગોલમાલના વિરોધ અને સરકારના રાજીનામાની માંગને લઇને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. તેઓ ઇચ્છતા હતા કે સરકાર રાજીનામું આપી દે અને દેશમાં ફરીથી ચૂંટણી કરાવવામાં આવે.