શંકરાચાર્યએ ફરી ઓક્યું ઝેર: સાંઇ બાબાને કહ્યું 'વેશ્યા પુત્ર', ભક્તોને 'ચેપી રોગ'
શંકરાચાર્યનું આ નિવેદન સામે આવ્યા બાદ સાંઇ ભક્તોમાં ઘણો આક્રાશ જોવા મળ્યો છે. સિવાનીમાં મીડિયા સાથે વાતચીત કરતાં શંકરાચાર્યએ કહ્યું કે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર અફઘાનિસ્તાનના રહેવાસી પિંડારી બહરૂદ્દીન અમહદનગર આવ્યા અને એક વેશ્યાના ઘરે રહેવા લાગ્યા. અહીંયા આ ચાંદ મિયાં પેદા થયા, જે શિરડીના સાંઇ બાબા છે. સાથે જ તેમણે સાંઇ ભક્તો પર પણ નિશાન સાધતાં તેમણે ચેપી રોગી ગણાવ્યા છે.
શંકરાચાર્યએ કહ્યું કે હિન્દુ તો હિન્દુ રહેશે ભલે કોઇનો પણ ભક્ત હોય. અંતે તે બતાવશે કે તે હિન્દુ છે. અમે લોકો જે વાત કહી રહ્યાં છે, તે બીજી દ્રષ્ટિથી કહી રહ્યાં છીએ. જ્યારે સંક્રમણથી આંખો લાલ થઇ જાય છે તો લોકો સલાહ આપે છે કે આ સંક્રમણ રોગ છે, દૂર રહો. આમ પણ આ (સાંઇ ભક્ત) ચેપી રોગની માફક ફેલાઇ રહ્યાં છે. સાંઇ પૂજાનો વિરોધ કરવાના લીધે ત્યાં શંકરચાર્યએ જણાવ્યું કે સાંઇ હિન્દુ ધર્મના અનુયાયિઓને ઠગી રહ્યાં છે, જે આપત્તિજનક છે. અમને તેમનાથી ઇર્ષ્યા નથી, પરંતુ વાંધો છે.