વારાણસી, 24 એપ્રિલ: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ગુરુવાસે કાશીના માર્ગો પર પોતાની 'શક્તિ'નું પ્રદર્શન કરતા વારાણસીથી પોતાનું ઉમેદવારી પત્ર ભરી દીધું. મોદી કાશી વિદ્યાપીઠથી પોતાના સમર્થકોના જનસૈલાબની વચ્ચે લગભગ પોણા બે કલાકના 'મેગા' રોડ શો બાદ ચૂંટણી પંચના કાર્યાલય પહોંચ્યા. પંડિત મદન મોહન માલવીયના પૌત્ર ગિરધર માલવીય અને શાસ્ત્રીય ગાયક છન્નૂલાલ મિસ્ત્ર મોદીના પ્રસ્તાવક બન્યા.
ભારતના રાજકીય ઇતિહાસમાં આ પહેલા ક્યારેય કોઇ નેતાનું આવું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું નથી. વારાણસીની પ્રજા મોદીના સ્વાગત માટે ત્રણ કલાકથી રાહ જોઇ રહી હતી. મોદીનું જે રીતે વારાણસની જનતા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું તેના પરથી એક વાત સ્પષ્ટ થઇ જાય છે કે દેશમાં મોદી નામની લહેર તો છે. અને આ લહેર 16મી મેના રોજ આવનાર પરિણામો ચોક્કસ ભાજપ તરફી જ આપશે એવું કહી શકાય.
જોકે મોદીના આ ભવ્ય શક્તિ પ્રદર્શન બાદ ઘણી પાર્ટીઓ અકળાઇ ઊઠી છે. જેમાંથી કોઇ પાર્ટી બાકાત નથી, અહીં સુધી દેશના વડાપ્રધાન મનમોહન સિંહે એવું કહી દીધું કે દેશમાં ક્યાંય મોદીની લહેર નથી. સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ તો વળી મદનમોહન માલવીયની મૂર્તિને ગંગાજળથી ધોઇ અને જણાવ્યું કે મોદીના હાથ નરસંહારથી અપવિત્ર છે.
અધૂરામાં પૂરું મોદીના આ ભવ્ય સ્વાગતથી અકળાયેલી કોંગ્રેસે તો ચૂંટણી પંચને મોદીના આ રોડ શો સામે વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસે ચૂંટણી પંચને જણાવ્યું છે કે મોદીના આ રોડ શોની દેશના 12 રાજ્યમાં 117 બેઠકોની ચૂંટણીમાં અસર પડી શકે છે. આ મેગા રોડ શો પર કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરતા જણાવ્યું છે કે ભાજપ દ્વારા આચાર સંહિતાનો ભંગ કરવામાં આવ્યો છે.
જુઓ વારાણસીમાં વડનગરી મોદીનું ભવ્ય વધામણું તસવીરો અને વીડિયોમાં...
વારાણસીમાં વડનગરી મોદીનું ભવ્ય વધામણું
ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ગુરુવાસે કાશીના માર્ગો પર પોતાની 'શક્તિ'નું પ્રદર્શન કરતા વારાણસીથી પોતાનું ઉમેદવારી પત્ર ભરી દીધું. મોદી કાશી વિદ્યાપીઠથી પોતાના સમર્થકોના જનસૈલાબની વચ્ચે લગભગ પોણા બે કલાકના 'મેગા' રોડ શો બાદ ચૂંટણી પંચના કાર્યાલય પહોંચ્યા.
વારાણસીમાં વડનગરી મોદીનું ભવ્ય વધામણું
પંડિત મદન મોહન માલવીયના પૌત્ર ગિરધર માલવીય અને શાસ્ત્રીય ગાયક છન્નૂલાલ મિસ્ત્ર મોદીના પ્રસ્તાવક બન્યા.
વારાણસીમાં વડનગરી મોદીનું ભવ્ય વધામણું
ભારતના રાજકીય ઇતિહાસમાં આ પહેલા ક્યારેય કોઇ નેતાનું આવું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું નથી. વારાણસીની પ્રજા મોદીના સ્વાગત માટે ત્રણ કલાકથી રાહ જોઇ રહી હતી.
વારાણસીમાં વડનગરી મોદીનું ભવ્ય વધામણું
મોદીનું જે રીતે વારાણસની જનતા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું તેના પરથી એક વાત સ્પષ્ટ થઇ જાય છે કે દેશમાં મોદી નામની લહેર તો છે. અને આ લહેર 16મી મેના રોજ આવનાર પરિણામો ચોક્કસ ભાજપ તરફી જ આપશે એવું કહી શકાય.
વારાણસીમાં વડનગરી મોદીનું ભવ્ય વધામણું
જોકે મોદીના આ ભવ્ય શક્તિ પ્રદર્શન બાદ ઘણી પાર્ટીઓ અકળાઇ ઊઠી છે. જેમાંથી કોઇ પાર્ટી બાકાત નથી, અહીં સુધી દેશના વડાપ્રધાન મનમોહન સિંહે એવું કહી દીધું કે દેશમાં ક્યાંય મોદીની લહેર નથી.
વારાણસીમાં વડનગરી મોદીનું ભવ્ય વધામણું
સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ તો વળી મદનમોહન માલવીયની મૂર્તિને ગંગાજળથી ધોઇ અને જણાવ્યું કે મોદીના હાથ નરસંહારથી અપવિત્ર છે
વારાણસીમાં વડનગરી મોદીનું ભવ્ય વધામણું
અધૂરામાં પૂરું મોદીના આ ભવ્ય સ્વાગતથી અકળાયેલી કોંગ્રેસે તો ચૂંટણી પંચને મોદીના આ રોડ શો સામે વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસે ચૂંટણી પંચને જણાવ્યું છે કે મોદીના આ રોડ શોની દેશના 12 રાજ્યમાં 117 બેઠકોની ચૂંટણીમાં અસર પડી શકે છે. આ મેગા રોડ શો પર કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરતા જણાવ્યું છે કે ભાજપ દ્વારા આચાર સંહિતાનો ભંગ કરવામાં આવ્યો છે.
વારાણસીમાં વડનગરી મોદીનું ભવ્ય વધામણું
વારાણસીમાં વડનગરી મોદીનું ભવ્ય વધામણું