આ વૉર મ્યૂઝિયમમાં આજે પણ જીવિત છે કારગિલ જંગ
બટાલિકથી ઋચા બાજપાઇ: બટાલિક સેક્ટરથી લગભગ 30 કિમીના અંતરે જ્યારે હું એક બ્રિગેડમાં પહોંચી તો મેં ત્યાં એક એવું વૉર મ્યૂઝિયમ જોયું જેણે હજુસુધી કારગિલ યુદ્ધની યાદોને સંગ્રહી રાખી છે.
ઇન્ડિયા ગેટની થીમ પર બન્યું છે કારગિલ વૉર મેમોરિયલ
આ વૉર મ્યૂઝિયમમાં તે યુદ્ધ સાથે જોડાયેલી તે દરેક વાતને સંભાળીને રાખવામાં આવી છે. એક નજર કરીએ તસવીરો પર અને જોઇએ આ વૉર મ્યૂઝિયમની શું ખાસિયતો છે.
યુદ્ધના નાયકોના નામ
આ વૉર મ્યૂઝિયમમાં પ્રવેશતાં જ તમને આ બધા નાયકોના ફોટોગ્રાફ જોવા મળશે જેમણે કારગિલ વૉરમાં એક મહત્વની ભૂમિકા ભજવી.
એરફોર્સનો ગ્રેનાઇટ
વૉર રૂમમાં એક તરફ તમને એક બોમ્બનું તે કવર જોવા મળશે જેને ઇન્ડિયન એરફોર્સે ઓપરેશન સફેદ સાગર હેઠળ પાકિસ્તાનના આતંકવાદી પર ફેંક્યું હતું.
મિગ 21નું એન્જીન કવર
મ્યૂઝિયમમાં તે મિગ-21નું એન્જીન કવર પણ રાખવામાં આવ્યું છે જેને ફ્લાઇટ લેફ્ટિનેંટ નચિકેતા ઉડાવી રહ્યાં હતા. તેમનું એરક્રાફ્ટ ક્રેશ થઇ ગયું હતું પરંતુ કોઇપણ પ્રકારે તે બચી નિકળ્યા અને પાક સીમામાં પહોંચી. જો કે નસીબદાર રહ્યાં જે દેશ સુરક્ષિત પરત ફર્યા.
ભારતને મળી મોટી સફળતા
કારગિલ વૉરમાં ભારતને મોટી સફળતા તે સમયે મળી હતી જ્યારે ભારતીય સેનાની જૈક લઇ બ્રિગેડે 21 જૂન 1999ના રોજ ફાઇનલ એટેકમાં પોઇન્ટ 5203 પર પોતાનો કબજો કરી લીધો.
બીજી મોટી સફળતા
ભારતીય સેનાએ જુબાર હિલ્સ પર પોતાના કબજાની સાથે જ બીજી તરફ મોટી સફળતા પ્રાપ્ત કરી હતી. અહીંથી 1 બિહાર રેજીમેંટે દુશ્મનોને ખદેડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
પાકિસ્તાની બોમ્બનું કવર
આ ફોટાને જોઇને તમે અંદાજો લગાવો શકો છો કે પાકિસ્તાને જે બોમ્બ ભારતીય સેના પર ફેંક્યો હતો તેની સાઇઝ કેટલી મોટી હશે, જ્યારે કવર આટલું મોટું છે.
ભારતીય સેનાએ મેળવી હતી તોપો
આ યુદ્ધમાં ભારતીય સેનાએ પાકિસ્તાનની ચાર તોપોને પોતાના કબજમાં લીધી હતી. આ તોપોના માધ્યમથી પાકિસ્તાની આતંકવાદી સેનાને નિશાન બનાવી રહ્યાં હતા. આ ચારેય તોપો આ મ્યૂઝિયમમાં છે.