For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક એવું ગામ જ્યાં લોકોએ સ્વતંત્રતા પછી મતદાન નથી કર્યું

ફૈઝાબાદ લોકસભા ક્ષેત્રમાં એક એવું પણ ગામ છે ત્યાંના લોકોએ આજ સુધી મતદાન કર્યું નથી.

|
Google Oneindia Gujarati News

ફૈઝાબાદ લોકસભા ક્ષેત્રમાં એક એવું પણ ગામ છે ત્યાંના લોકોએ આજ સુધી મતદાન કર્યું નથી. લોકોએ લોકતંત્રની ઉજવણીમાં ભાગ લીધો નથી અને સૌથી મોટી વિડંબના એ છે કે સ્વતંત્રતાના આ 70 વર્ષોમાં જન પ્રતિનિધિએ પણ ધ્યાન આપ્યું નથી કે જિલ્લા વહીવટ અને ચૂંટણી પંચએ પણ ધ્યાન આપ્યું નથી. પેઢી દર પેઢી પસાર થઇ ગઈ પરંતુ કોઈએ ચૂંટણી પ્રતીક પર મહોર લગાવી નહીં. ગામના સેંકડો મતદારો ન તો વિધાયકને પસંદ કરે છે, ન તો ધારાસભ્યો પસંદ કરે છે, અને ન તો સાંસદ પસંદ કરે છે. આ લોકો દૂરથી લોકતંત્રના ઉત્સવને નમસ્કાર કરે છે. જી હા, આ સત્ય છે.

આ પણ વાંચો: મહિલાને આવારા કુતરાઓને ખાવાનું ખવડાવાનું ખુબ જ મોંઘુ પડી ગયું

આ કારણે મત આપવા માટે જતા નથી

આ કારણે મત આપવા માટે જતા નથી

દેશે આ વર્ષે 70 મો પ્રજાસત્તાક દિવસ ઉજવ્યો છે અને 17 મી લોકસભાનું ગઠન કરવા જઈ રહી છે, આ ઉપરાંત ઉત્તરપ્રદેશમાં વિધાનસભા સાથે પંચાયતની પણ ઘણી ચૂંટણીઓ થઈ ચુકી છે. આવી પરિસ્થિતિમાં, જો કોઈ એક ગામના 100 થી વધુ મતદારોએ દેશની સ્વતંત્રતા પછી અત્યાર સુધી મતદાન કર્યું નથી. આ વાત આશ્ચર્યચકિત કરી દે તેવી છે. ફૈઝાબાદ લોકસભાના વિસ્તાર હેઠળ મિલ્કીપુર વિધાનસભા ક્ષેત્ર સ્થિત ગદ્દોપુર ગ્રામ સભાના આ બોધી તિવારી પુરવા છે, જ્યાં સામાન્ય વર્ગ સાથે સંકળાયેલી જાતિ વિશેષના લોકો ગદ્દોપુર ગામમાં જતા નથી અને આ ગામમાં જ મતદાન કેન્દ્ર છે. જણાવી દઈએ કે ગદ્દોપુરના જમીનદારોએ તેમના પૂર્વજોની મોટી જમીન બળજબરીપૂર્વક કબજે કરી હતી, જેના વિરોધ તેમના પૂર્વજોએ ભૂખ હડતાળ દ્વારા કર્યો હતો, જેમાં તેઓ મૃત્યુ પામ્યા હતા અને તેમના મૃત્યુ પછી અત્યાર સુધી કોઈ પણ સંબંધિત પરિવાર બોધી તિવારી પુરવાનું વ્યક્તિ ગદ્દોપુર ગયું નથી.

મતદાન કેન્દ્ર અલગ કરવાની માંગ

મતદાન કેન્દ્ર અલગ કરવાની માંગ

બોધી તિવારી પુરવાના લોકોનું મતદાન કેન્દ્ર ગદ્દોપુરમાં છે, તેથી કોઈ પણ મતદાન કરવા જતું નથી. ગામવાસીઓએ દરેક ચૂંટણી પહેલાં વહીવટી કેન્દ્ર પાસે માંગણી કરી હતી કે અમારું મતદાન કેન્દ્ર બીજે કોઈ જગ્યાએ કરી દે. જેથી અમે મતદાન કરી શકીએ, પરંતુ લોકસભાની આ ચૂંટણીઓમાં પણ ગદ્દોપુરમાં જ મતદાન કેન્દ્ર રાખ્યું છે બીજા સ્થળેએ મતદાન કેન્દ્ર કર્યું નથી. જો તમે ચૂંટણી પર વહીવટી પ્રવૃત્તિઓ જુઓ છો, તો અસંખ્ય મતદાર જાગૃતિ અભિયાન 39 સરકારી સ્તરે અને ઘણા બિન-સરકારી સ્તરે શરૂ કરવામાં આવ્યા છે. એરક્રાફ્ટ દ્વારા પણ મતદાર જાગૃતતા પેમ્પલેટ પણ લગાવામાં આવ્યા છે.

અધિકારીઓએ હજુ સુધી કોઈ પગલાં લીધા નથી

અધિકારીઓએ હજુ સુધી કોઈ પગલાં લીધા નથી

આ પરિસ્થિતિમાં 100 ટકા મતદાનની ખાતરી કરવા માટે વર્નલેબલ અને ક્રિટિકલ મતદાન મથકોને વહીવટ સતત નિશાન બનાવી રહ્યું છે, આવામાં બોધી તિવારી પુરવાના લોકોની સમસ્યાનો ઉકેલ ન થવો, વહીવટી કાર્યવાહી પર સવાલ ઉભો કરે છે. આ સંદર્ભમાં જ્યારે મીલ્કીપુરના એસડીએમ સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે આ બાબત બે દિવસ પહેલા અમારી જાણકારીમાં આવી છે અને હવે મતદાન મથકને અલગ કરી શકાશે નહીં. તેમણે જણાવ્યું હતું કે અમે તમામ વહીવટી સ્ટાફ તેમને સમજાવીને મતદાન કરાવાનો પ્રયત્ન કરીશું, અને ચૂંટણી સમાપ્ત થયા પછી, બોધિ તિવારીના નિવાસીઓ માટે નવું સીમાચિહ્ન કરાવી મતદાન કેન્દ્ર બીજી જગ્યાએ આપીશું. બોધિ તિવારી પુરવાના પૂર્વજોની આ પરંપરા આજે પણ તેમની પેઢીઓ નિભાવી રહી છે.

English summary
Many villagers in faizabad didnt voted since independence
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X