ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર પોલીસ કર્ચાચારીઓ સામે ખાતાકીય કાર્યવાહી કરાશે
અમદાવાદ પોલીસ વિભાગનો કોઈ પણ પોલીસકર્મી જો હેલમેટ પહેર્યા વગર અથવા સીટ બેલ્ટ બાંધ્યા વગર ગાડી ચલાવતા પકડાશે, તો કાયદેસરનો દંડ વસૂલવા ઉપરાંત ખાતાકીય કાર્યવાહી પણ કરશે
અમદાવાદ શહેર પોલીસ શહેરની ટ્રાફિક વ્યવસ્થા સુદ્રઢ બને તે માટે સતત પ્રયત્નશીલ રહે છે અને નવા નવા પ્લાન પણ અમલમાં મુકે છે. જો કે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસને હજુ ધારી સફળતા મળી નથી. સાથે સાથે એવી પણ ગંભીર બાબત ધ્યાનમાં આવી છે કે ખુદ અમદાવાદ શહેર પોલીસનો મોટાભાગનો સ્ટાફ હેલ્મેટ પહેરવામાં તેમજ ટ્રાફિકના અન્ય નિયમોનો અમલ કરતો નથી. ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસના ડીસીપી (ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ) સુધીર દેસાઇએ અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં પરિપત્ર મોકલ્યો છે જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે અમદાવાદ શહેર પોલીસ કેટલાંક કર્મચારીઓ હેલમેટ વિના વાહન ચલાવતા નથી જેના ફોટોગ્રાફ્સ અખબારો તેમજ સોશિયલ મીડીયામાં પ્રસિધ્ધ થતા હોય છે.
જેના કારણે પોલીસની આબરૂને પણ અસર થાય છે. ત્યારે આ હવે પછી જો કોઇ પોલીસ કર્મચારી ટ્રાાફિકના નિયમોનો ભંગ કરતો હોય તેવા ફોટોગ્રાફ્સ ધ્યાન પર આવશે તો આવા સંજોગોમાં તે પોલીસ કર્મચારી પાસથી દંડ વસુલવા ઉપરાંત, ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે અમદાવાદના તમામ પોલીસ અધિકારીઓ અને પોલીસ મથકોમાં જાણા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પોલીસ કમિશનરે પોલીસ હેલમેટ વીના આવનાર પોલીસ કર્મચારીઓને પોલીસ કમિશનર ઓફિસમાં પ્રવેશ કરવા પર મનાઇ ફરમાવી હતી જેના કારણે ધણાં પોલીસ અધિકારીઓ હેલ્મેટ પહેરતા થયા છે. ત્યારે જો આગામી દિવસોમાં પોલીસ કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો નોંધપાત્ર સુધારો આવી શકે તેમ છે.
એક પોલીસ કર્મચારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે આમ તો આ બાબત સારી છે. પણ, તેનો અમલ યોગ્ય રીતે થાય તે જરૂરી છે. કારણ કે મોટાભાગના અકસ્માતોમાં યોગ્ય હેલમેટ પહેર્યુ ન હોવાને કારણે મોત કે ગંભીર ઇજા થવાના બનાવો પણ બની હહ્યા છે. આ અંગે ડીસીપી ટ્રાફિક અમદાવાદ કહે છે કે પોલીસ જ્યારે કાયદાનો અમલ કરશે ત્યારે બીજા લોકોને પણ કહી શકશે. કારણ કે ઘણી વાર લોકો એવા પ્રશ્ન ઉભા કરતા હોય છે રે પોલીસ જ કાયદાનું પાલન કરે તો બીજાને કંઇ રીતે કરાવી શકશે.