જમ્મુ કાશ્મીર: શ્રીનગરમાં પાકિસ્તાન અને ISIS ના ઝંડા ફરકાવ્યા
જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં સુરક્ષાબળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસાની ખબરો આવી છે.
જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં સુરક્ષાબળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસાની ખબરો આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે અહીં લોકોએ પાકિસ્તાન અને આઇએસઆઇએસના ઝંડા ફરકાવ્યા છે, જેને કારણે માહોલ તણાવપૂર્ણ થઇ ગયો હતો. આ ઘટનામાં વધારે જાણકારી મળવાની રાહ જોવાઈ રહી છે.
આજે બુધવારે લોકો બકરી ઈદ તહેવાર ઉજવી રહ્યા છે. પરંતુ કાશ્મીર ઘાટીથી ખરાબ સમાચારો આવી રહ્યા છે. શ્રીનગરમાં તણાવ પહેલા કુલગામમાં આતંકીઓએ પોલીસકર્મીની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. આ ઘટના પહેલા આતંકીઓ ઘ્વારા પુલવામાં શબીર અહમદ ભટ્ટની હત્યા કરી હતી.
#JammuAndKashmir: People seen waving national flag of Pakistan and flag of ISIS (Islamic State in Iraq and Syria) in Srinagar. pic.twitter.com/i4STtWy49q
— ANI (@ANI) August 22, 2018
જમ્મુ કાશ્મીરમાં આજે હાલત વધારે બગડી ગયી છે. અહીં પોલીસ ગાડીઓ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો છે. લોકો હાથમાં પાકિસ્તાન અને આઇએસઆઇએસના ઝંડા લઈને રસ્તા પર ઉતરી આવ્યા છે. કેટલીક જગ્યા પર હિંસા પણ જોવા મળી રહી છે.
#WATCH: Protesters pelt stones on a police vehicle & attack it with sticks as protests erupt in Anantnag. #JammuAndKashmir. pic.twitter.com/N5rC0Uw8qD
— ANI (@ANI) August 22, 2018