રાહુલ ગાંધી બિચારા છે કારણકે તેમને તથ્યોની જાણકારી નથી: યોગી આદિત્યનાથ
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર વ્યંગ માર્યો છે.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર વ્યંગ માર્યો છે. સીએમ યોગી ઘ્વારા રાહુલ ગાંધીને બિચારા ગણાવીને કહ્યું કે તેમને તથ્યો વિશે કોઈ જ જાણકારી નથી, તેઓ ફક્ત તેમને આપવામાં આવેલું ભાષણ જ વાંચે છે. આઝાદીના 70 વર્ષમાં ગાંધી પરિવાર જ સત્તામાં રહ્યો છે. તેમને કહ્યું કે જો તેમને ગરીબોને યોજનાઓનો લાભ આપ્યો હોત તો આજે એક મોટો વર્ષ આવાસથી વંચિત ના રહ્યો હોત.
યોગી આદિત્યનાથે શનિવારે એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2 કરોડ લોકોને ઘર ઉપલબ્ધ કરાવ્યું. તેમને જણાવ્યું કે આ બે કરોડ લોકો પાસે ઘર નહીં હોવા માટે કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો પરિવાર જવાબદાર છે. તેમને કહ્યું કે રાહુલ બિચારા છે કારણકે તેમને તથ્યો વિશે કોઈ જ જાણકારી નથી. તેઓ ફક્ત તેમને આપવામાં આવેલું ભાષણ જ વાંચે છે. યોગી આદિત્યનાથે આગળ જણાવ્યું કે કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ દેશની જનતા પાસે માફી મંગાવી જોઈએ કારણકે બધા જ જાણે છે કે ચોર કોણ છે.
राहुल गांधी बेचारे हैं क्योंकि उन्हें तथ्यों की जानकारी नही है। वह केवल उन्हें दी गयी स्क्रिप्ट को ही पढ़ देते हैं। कांग्रेस और राहुल गांधी को देश के लोगों से माफी मांगनी चाहिये, क्योंकि हर कोई जानता है कि चोर कौन है। pic.twitter.com/asACfGYjWc
— Yogi Adityanath (@myogiadityanath) September 22, 2018