For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિભાજન બાદ ભારતને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરી દેવુ જોઈતુ હતુઃ હાઈકોર્ટના જજ

મેઘાલય હાઈકોર્ટના જજ જસ્ટીસ સુદીપ રંજન સેને કહ્યુ કે ભારત ધર્મના આધારે અલગ થયુ હતુ એટલા માટે તેણે પોતાને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરી લેવુ જોઈતુ હતુ પરંતુ આજે પણ ભારત સેક્યુલર રાષ્ટ્ર છે.

|
Google Oneindia Gujarati News

મેઘાલય હાઈકોર્ટના જજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી રાજનાથી સિંહ, કાયદા મંત્રી અને સાંસદોને વિનંતી કરી છે કે તેઓ એવો કાયદો પાસ કરે જેનાથી હિંદુ, શીખ, ઈસાઈ, બૌદ્ધ, પારસી, ખસિસ, જેન્તિયાસ, ગારોને પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી ભારત આવવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે. તેમણે કહ્યુ કે કાયદો એવો હોવો જોઈએ જેમાં આ તમામ લોકોને ભારતની નાગરિકતા આપવા માટે કોઈ પણ પ્રકારના દસ્તાવેજની માંગ ન કરવામાં આવે.

આ પણ વાંચોઃ ત્રણ રાજ્યોમાં કેમ હારી ભાજપ, મંથન માટે અમિત શાહે દિલ્લીમાં બોલાવી બેઠકઆ પણ વાંચોઃ ત્રણ રાજ્યોમાં કેમ હારી ભાજપ, મંથન માટે અમિત શાહે દિલ્લીમાં બોલાવી બેઠક

દસ્તાવેજ વિના મળે નાગરિકતા

દસ્તાવેજ વિના મળે નાગરિકતા

જસ્ટીસ સુદીપ રંજન સેને કહ્યુ કે આજે પણ પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનમાં હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, ઈસાઈ, પારસી, ખસિસ, જૈન્તિયાસ, ગારો લોકોનું શોષણ થઈ રહ્યુ છે અને તેમના પાસે જવા માટે કોઈ જગ્યા નથી. જે હિંદુ વિભાજન બાદ ભારત આવ્યા તેમને પણ વિદેશી માનવામાં આવે છે. મારુ માનવુ છે કે આ બહુ જ આતાર્કિક, ગેરકાયદેસર અને પ્રાકૃતિક ન્યાયના સિદ્ધાંતની વિરોધમાં છે. આ સાથે જસ્ટીસ સેને કહ્યુ કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં રહેતા લોકોને ભારત આવવાની આઝાદી હોવી જોઈએ. તેમણે આ વાત એક અરજીની સુનાવણી દરમિયાન કહી. વાસ્તવમાં મેઘાલયના સ્થાનિક નાગરિકને જ્યારે રાજ્ય સરકાર તરફથી નિવાસ પ્રમાણપત્ર આપવાનો ઈનકાર કરી દેવામાં આવ્યો તો એની સામે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેના પર સુનાવણી કરતી વખતે જસ્ટીસ સેને આ વાત કહી.

કોઈએ મુસ્લિમ રાષ્ટ્ર બનાવવાની કોશિશ ન કરવી જોઈએ

કોઈએ મુસ્લિમ રાષ્ટ્ર બનાવવાની કોશિશ ન કરવી જોઈએ

જસ્ટીસે પોતાના આદેશમાં કહ્યુ કે હિંદુ અને શીખ જેમની ઉત્પતિ મૂળ રીતે ભારતમાં થઈ છે, તેમને ફરીથી એક વાર ભારત આવવાની આઝાદી મળવી જોઈએ. વળી, તેમને દેશની નાગરિકતા આપોઆપ મળી જવી જોઈએ. જસ્ટીસ સેન આટલે જ ન રોકોયા તેમણે કહ્યુ કે ભારતને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરી દેવુ જોઈતુ હતુ. જસ્ટીસે પોતાના ચુકાદામાં કહ્યુ કે પાકિસ્તાને પોતાના ઈસ્લામિક રાષ્ટ્ર ઘોષિત કરી દીધુ હતુ. ભારત ધર્મના આધારે અલગ થયુ હતુ એટલા માટે તેણે પોતાને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરી લેવુ જોઈતુ હતુ પરંતુ આજે પણ ભારત સેક્યુલર રાષ્ટ્ર છે.

માત્ર મોદીજીની સરકાર જ આને સમજી શકે છે

માત્ર મોદીજીની સરકાર જ આને સમજી શકે છે

આ સાથે જસ્ટીસ સેને કેન્દ્ર સરકારના આસિસટન્ટ સૉલિસિટર જનરલ ઓફ ઈન્ડિયાયને નિર્દેશ આપ્યા છે કે તે તેમના નિર્ણયની એક પ્રતિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી, કાયદા મંત્રી, મેઘાલયના રાજ્યપાલ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને પણ સોંપે. જજે કહ્યુ કે હું સ્પષ્ટ કરી દેવા ઈચ્છુ છુ કે કોઈએ પણ ભારતને ઈસ્લામિક દેશ બનાવવાની કોશિશ ન કરવી જોઈએ અન્યથા ભારત અને દુનિયા માટે અભિશાપ હશે. મને ભરોસો છે કે માત્ર નરેન્દ્ર મોદીજીની આગેવાનીવાળી વર્તમાન સરકાર જ આ વિષયની ગંભીરતા સમજી શકે છે અને આના માટે યોગ્ય પગલાં લેશે.

આ પણ વાંચોઃ રાજસ્થાનમાં ડેપ્યુટી સીએમ ફોર્મ્યુલા અપનાવશે રાહુલ? ગેહલોત-પાયલટ દિલ્લી રવાનાઆ પણ વાંચોઃ રાજસ્થાનમાં ડેપ્યુટી સીએમ ફોર્મ્યુલા અપનાવશે રાહુલ? ગેહલોત-પાયલટ દિલ્લી રવાના

English summary
Meghalaya High Court Judge Sudip Ranjan Sen says no one should try to make India a Islamic nation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X