j&kમાં આતંકી હુમલો, નેશનલ કોંફ્રેન્સના 2 કાર્યકર્તાની હત્યા
j&kમાં આતંકી હુમલો, નેશનલ કોંફ્રેન્સના 2 કાર્યકર્તાની હત્યા
શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરના કરાફલીમાં આતંકવાદીઓએ હુમલો કરી દીધો છે, જેમાં બે લોકનાં મોત થયાં છે. કરાફલી વિસ્તારમાં આતંકવાદીઓે ત્રણ લોકો પર ફાયરિંગ કર્યું છે. મૃતકોમાં નેશનલ કોંફ્રેન્સના કાર્યકર્તા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે જમ્મુ અને કાશ્મીરમાં સિવિક બૉડી ઈલેક્શન થનાર છે જેને પગલે આતંકવાદીઓ માહોલ બગાડવાની કોશિશ કરી રહ્યા છે.
સૂત્રો મુજબ કરાફલીમાં આતંકવાદીઓએ ત્રણ લોકો પર ગાળીબાર કર્યો હતો, જેમાં બેનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. શ્રીનગર એએસએસપી ઈમતીયાઝ ઈસ્માઈલ પર્રેએ જણાવ્યું કે આ ઘટનાને પગલે બે લોકો મૃત્યુ પામ્યા છે, તેમનું રાજનૈતિક બેકગ્રાઉન્ડ હતું.
આ પણ વાંચો- નૈના સાહનીના શબને કાપીને તંદૂરમાં બાળનાર સુશીલની સમય પહેલા મુક્તિ નહિ
ઘાટીમાં ચૂંટણી છે અને એવામાં આતંકવાદીઓ સતત સામાન્ય લોકો પર નિશાન બનાવીને આગામી ચૂંટણીમાં અડચણ પેદા કરવા માગે છે. ઘાટીમાં આ વખતે થનાર ચૂંટણીનો બે મુખ્ય પાર્ટી નેશનલ કોંફ્રેન્સ અને પીડીપીએ બહિષ્કાર કરવાની ઘોષણા કરી છે.
આ પણ વાંચો- ટીવી એન્કર સોહેબ ઈલિયાસી પત્નીની હત્યાના આરોપમાંથી મુક્ત