બુલંદશહેર હિંસા પર યુપીના સીએમ યોગી આદિત્યનાથ કંઈક આવું બોલ્યા
યુપીના બુલંદશહેરમાં ગૌકશી ઘટના પછી ભડકેલી હિંસામાં માર્યા ગયેલા પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધ કુમાર અને ગ્રામીણોની મૌત પર સીએમ યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું છે.
યુપીના બુલંદશહેરમાં ગૌકશી ઘટના પછી ભડકેલી હિંસામાં માર્યા ગયેલા પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધ કુમાર અને ગ્રામીણોની મૌત પર સીએમ યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમને ઘટનાની તત્કાલ જાંચ કરવા માટે આદેશ આપીને પીડિતોને વળતળ આપવાનું પણ આશ્વાશન આપ્યું છે. આપણે જણાવી દઈએ કે આ પહેલા યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા પોલીસ ઈન્સ્પેક્ટરને શ્રદ્ધાંજલિ આપી હતી.
અખિલેશ યાદવે ટવિટ કરીને લખ્યું હતું કે બુલંદશહેરમાં પોલીસ અને ગ્રામીણો વચ્ચે થયેલા સંઘર્ષમાં સ્યાન કોતવાલ સુબોધ કુમાર સિંહની મૌતના સમાચાર ખુબ જ દુઃખદ છે. ઉત્તરપ્રદેશ ભાજપના કાર્યકાળમાં હિંસા અને અરાજક્તાથી પસાર થઇ રહ્યું છે. આપણે જણાવી દઈએ કે સોમવારે બુલંદશહેરમાં એક મેદાનમાં ગૈવંશ મળવાને કારણે ગ્રામીણો વિરોધ માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા. ત્યારપછી આ વિરોધે હિંસાનું રૂપ લીધું હતું.
UP Government: Uttar Pradesh Chief Minister Yogi Adityanath expressed his grief on the death of Police Inspector Subodh Kumar and a local Sumit in violence in #Bulandshahr. He assured a speedy investigation and a compensation package for the victims.
— ANI UP (@ANINewsUP) December 3, 2018
આપણે જણાવી દઈએ કે આ આખા મામલે યુપીના એડીજી લો એન્ડ ઓર્ડર આનંદ કુમારે પ્રેસ કોન્ફરન્સ કરીને સફાઈ આપી હતી. એડીજી ઘ્વારા જણાવવામાં આવ્યું કે હિંસા દરમિયાન થયેલા પથરાવની ઝપટમાં આવવાને કારણે એક પોલીસ ઇન્સ્પેક્ટરની મૌત થઇ ચુકી છે. તેની સાથે સાથે સુમિત નામના એક વ્યક્તિની ગોળી વાગવાને કારણે મૌત થઇ ચુકી છે. એડીજી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ગોળી વાગ્યા પછી સુમિતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેને અંતિમ શ્વાસ લીધો.
આ પણ વાંચો: હોટલના રૂમમાંથી મળ્યા 11 કરોડ રોકડા રૂપિયા અને 7 કિલો સોનું!