બ્રિટનના ભાવી રાજા વિલિયમનો છે ભારત સાથે સંબંધ
આ ડીએનએ વિશ્લેષણનો અર્થ એ થાય છે કે રાજકુમાર વિલિયમ રાષ્ટ્રમંડળના એવા પહેલા પ્રમુખ હશે, જેનો ભારત સાથે સ્પષ્ટ આનુવાંશિક સંબંધ છે. એવી સંભાવનાઓ છે કે, આગામી મહિને વિલિયમના બાળકના જન્મ પછી તે ટૂંક સમયમાં ભારતનો પહેલો પ્રવાસ કરવા આવી શકે છે.
અનુસંધાનકર્તાઓએ વિલિયમ અંગે તેમના ભારતીય પુર્વજો સાથે સંબંધોની માહિતી શોધી કાઢી છે. રાજકુમાર વિલિયમ પહેલાની પાંચ પેઢીમાં તેમના પુર્વજો ઓડોરે ફોર્બ્સ(1788-1820)ને ત્યાં એલિજા કેવાર્ક નામની એક મહિલા કામ કરતી હતી.
ફોર્બ્સ સ્કોટલેન્ડની એક કારોબારી હતી, જે ગુજરાતના શહેર સુરતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપની માટે કામ કરતી હતી. આ બન્નેની એક પુત્રી કેથરીન હતી અને ડાયના કેથરીની પાંચ પેઢી પછીની વંશજ હતી. એલિજાના એમટી ડીએનએ તેમની પૂત્રીઓ અને નાતિઓ થકી ડાયના સુધી પહોંચ્યા અને ડાયનાથી પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરી સુધી પહોંચ્યા.
બ્રિટિશન્સ ડીએનએ એ એક જાહેરાતમાં કહ્યું કે અમને વિશ્વાસ છે કે અમારા દ્વારા એકત્રિત તમામ પુરાવાથી જાણવા મળે છે કે માતા અને તેમના આનુવાંશિક અંશ ભારતીય હતા. એલિજાને અર્મેનિયા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે અને આ દાવો સંભવતઃ એટલા માટે કરવામાં આવ્યો, કારણ કે તેનું ઉપનામ કેવાર્ક અર્મેનિયાના નામ કેવોર્કથી મળતુ આવું છે અને તેમને ફોર્બ્સને પત્રો લખ્યા, તેમાં પણ અર્મેનિયા લિપી હતી. તેનાથી એવો અંદાજો લગાવવામાં આવે છે કે સંભાવના છે કે તેમના પિતા અર્મેનિયા મૂળના હશે.
જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે રાજકુમાર વિલિયમ અને હેરીમ એલિજા કેવાર્કના આનુવાંશિક અંશ છે, પરંતુ તે આ ભારતીય એમડીડીએનએ પોતાના બાળકોમાં નહીં પહોંચાડી શકે, કારણ કે એમડી ડીએનએ માત્ર માથી જ તેમના બાળકોમાં જાય છે. આ ખુલાસાથી જાણવા મળ્યું છે કે એલિજાના બાળકોના સ્કોટિશ પિતાએ તેમને અચાનક કેમ છોડી દીધા અને તેમની પુત્રી કેથરીન છ વર્ષની ઉમરમાં બ્રિટેન મોકલવામાં આવી. વિલિયમ અને હેરીની મા ડાયના આ કેથરિનની વંસજ હતી.