For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધોનીના સંન્યાસને લઈ મુખ્ય સિલેક્ટરે કહી આ વાત

ધોનીના સંન્યાસને લઈ મુખ્ય સિલેક્ટરે કહી આ વાત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ક્રિકેટ ફેન્સના ચહેરા એવા સમયે માયૂસ થઈ ગયા હતા જ્યારે સોશિયલ મીડિયા પર અટકળો લગાવવામાં આવી હતી કે મહેન્દ્ર સિંહ ધોની ગુરુવારે સાંજે 7 વાગ્યે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લઈ લેશે. તેમના ફેન્સ ટ્વિટર પર તેમને વિદાઈની શુભકામનાઓ પણ આપવા લાગ્યા. પરંતુ આ અહેવાલ પર મુખ્ય સિલેક્ટર એમએસકે પ્રદાસે એવા સમયે વિરામ લગાવ્યો જ્યારે સાઉથ આફ્રિકા વિરુદ્ધ 3 ટેસ્ટ મેચોની સીરિઝ માટે ટીમની ઘોષણા કરી.

dhoni

એમએસકે પ્રસાદને જ્યારે પૂછવામાં આવ્યું કે શું ખરેખર ધોની આજે સંન્યાસનું એલાન કરવા જઈ રહ્યા છે તો તેમણે જવાબ આપતાં કહ્યું કે, હાલ ધોનીના રિટાયરમેન્ટને લઈ કોઈ અપડેટ નથી આવ્યા. હાલ જે અહેવાલો ચાલી રહ્યા છે તે ખોટા છે. જણાવી દઈએ કે સંન્યાસની અટકળો એવા સમયે લગાવવામાં આવી જ્યારે વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી. તસવીરમાં ખાસ વાત એ હતી કે તે 3 વર્ષ જૂની તસવીર હતી, જેને શેર કરતા કોહલીએ એક મેચનો ઉલ્લેખ કર્યો. જે બાદ અટકળો લગાવવામાં આવી કે ધોની વિદાઈ લઈ રહ્યા છે.

જણાવી દઈએ કે ધોની અચાનક મોટા ફેસલા લેવા માટે ઓળખાય છે. કોહલીએ જ્યારે ધોની સાથે તસવીર શેર કરી તો ફેન્સને એમ જ લાગ્યું કે તે અચાનક એલાન કરશે. કોહલીએ કેપ્શનમાં લખ્યું હતું કે, 'હું આ મેચ ક્યારેય નહિ ભૂલી શકું. ખાસ રાત. આ શખ્સે મને ફિટનેસ ટેસ્ટની જેમ દોડાવ્યો.' કોહલીની આ ટ્વીટ બાદ લોકો ધોનીને વિદાઈની શુભેચ્છા પાઠવવા લાગ્યા હતા.

<strong>શું ધોની આજે સાંજે 7 વાગ્યે સંન્યાસ લેશે? સોશિયલ મીડિયા પર અટકળો તેજ</strong>શું ધોની આજે સાંજે 7 વાગ્યે સંન્યાસ લેશે? સોશિયલ મીડિયા પર અટકળો તેજ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
The Chief Selector break his silence on news of Dhoni's retirement
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X