નોન વેજ છોડીને શાકાહારી બન્યા વિરાટ કોહલી, જાણો કારણ
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી તેમની ફિટનેસ માટે વધારે ઓળખાય છે. વિરાટ કોહલી જેટલી પોતાની સ્ટાઇલનું ધ્યાન રાખે છે.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી તેમની ફિટનેસ માટે વધારે ઓળખાય છે. વિરાટ કોહલી જેટલી પોતાની સ્ટાઇલનું ધ્યાન રાખે છે. એટલું જ ધ્યાન પોતાની ફિટનેસનું પણ રાખે છે. વિરાટ કોહલીને નાનપણ થી બિરયાની ખુબ જ પસંદ છે. વિરાટ કોહલીને તેના નાનપણ ના પ્રેમથી દૂર રહેવું પડી રહ્યું છે. મળતી માહિતી અનુસાર વિરાટ કોહલી નોન વેજ ખાવાનું છોડી રહ્યા. વિરાટ કોહલીએ ચાર મહિના પહેલા જ એનિમલ પ્રોટીન લેવાનું બંધ કરી દીધું છે.
વિરાટ કોહલીએ વીગન ડાયેટ શરુ કર્યું છે. જેનો મતલબ છે કે તેમને માંશ, માછલી અને ઈંડા જ નહીં પરંતુ દરેક એવું વસ્તુ ખાવાની બંધ કરી દીધી છે, જે એનિમલ પ્રોડક્ટમાંથી બને છે. તેઓ દૂધ, દહીં અને ઘી જેવી ડેરી પ્રોડક્ટ પણ નથી ખાઈ રહ્યા. આપને જણાવી દઈએ કે બે વર્ષ પહેલા જયારે તેઓ સામાન્ય ડાયટ લઇ રહ્યા હતા ત્યારે તેમને કહ્યું હતું કે જો તક મળશે તો તેઓ નોન વેજ ખાવાનું છોડી દેશે. હવે તેઓ પહેલાંની સરખામણીમાં વધારે સહજ અને મજબૂત અનુભવ કરી રહ્યા છે. વિરાટ કોહલી હવે શાકભાજી પર વધારે ધ્યાન આપી રહ્યા છે.
વિરાટ કોહલીની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા પણ કોહલીની આ આદતમાં તેમનો સાથ આપી રહી છે. અનુષ્કા શર્માએ પણ છેલ્લા ચાર મહિનાથી નોનવેજ ભોજનને હાથ નથી લગાવ્યો.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો